દરેક વ્યક્તિને શરીરને ઠંડક મળે તેવી વસ્તુ ખાવાની ઈચ્છા થતી રહે છે. શરીરને કુદરતી રીતે ઠંડક આપે તેવી વસ્તુ દહીં છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ કહે છે કે શરીરમાં જો આંતરિક ગરમી વધારે હોય તો તે વ્યક્તિએ ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તેનાથી શરીરને ઠંડક મળે છે.
જે લોકોને પેશાબમાં બળતરા પેટમાં બળતરા ચામડીના રોગ જેવી તકલીફો હોય તેમણે પણ દહીંનું સેવન કરવું જોઈએ.
દહીંનું સેવન કરવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. તેમાં પણ જો તમે દહીંમાં એક ચમચી મધ ઉમેરીને લેશો તો તેનાથી તમને ગજબ ના ફાયદા જોવા મળશે.
ખાસ કરીને એવા લોકો જેમને પેટ અને કમરના ભાગમાં ચરબી વધારે છે તેમણે તો આ વસ્તુનું સેવન ખાસ કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ જણાવે છે કે દહીં સાથે મધ મિક્સ કરીને લેવાથી આરોગ્ય સુધરે છે અને સાથે જ ચરબી પણ ઘટે છે.
દહીંની તસવીર ઠંડી છે તેથી જો બપોરના ભોજનમાં તેનો સમાવેશ કરવામાં આવે તો શરીરને ઠંડક મળે છે અને સાથે જ ઘણા રોગ પણ દૂર થાય છે.
દહીંનો ઉપયોગ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. કેટલાક લોકો દહીંમાં મીઠું ઉમેરે છે તો કેટલાક સાકર ઉમેરીને ખાય છે. પરંતુ એક વખત દહીંમાં મધ ઉમેરીને ખાવાની શરૂઆત કરી જુઓ.
દહીં અને મધનું મિશ્રણ તમારા શરીરના જરૂરી પોષક તત્વોની ખામીને દૂર કરી દેશે. આ બંને વસ્તુનું મિશ્રણ શરીરમાં પ્રોટીનનું સ્તર પણ વધારે છે જેનાથી શરીર મજબૂત બને છે.
મધ અને દહીંનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ પણ સુધરે છે અને પાચન સંબંધિત રોગ પણ દૂર થાય છે. નિયમિત દહી અને મધ લેવાથી પેટ સાફ આવે છે અને રોગ થતા નથી.
શરીરનું વધેલું વજન અને ખાસ કરીને પેટની ચરબી ઓછી કરવી હોય તો દહીં અને મધનો દૈનિક આહારમાં સમાવેશ કરો. એક વાટકી દહીંમાં એક ચમચી મધ ઉમેરીને રોજ લેવાથી ફટાફટ પેટની ચરબી બરફની જેમ ઓગળવા લાગશે.
જે લોકોને ચરબી ઓછી કરવી હોય છે તેઓ નિયમિત રીતે દહીંમાં મધ મિક્સ કરીને ખાશે તો દસ દિવસમાં જ તેમને ફેરફાર દેખાવા લાગશે. આ સિવાય દહીમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન કરવાથી હાડકા પણ મજબૂત થાય છે અને સાંધાના દુખાવા મટે છે.