આયુર્વેદ

દૂધમાં ઉમેરીને પી લ્યો આ વસ્તુઓ, માત્ર એક અઠવાડિયામાં શરીર બની જશે એકદમ મજબૂત, આળસ, દુખાવો, થાક વગેરેથી મળશે આરામ.

દોસ્તો આજના સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે લોકોને વારંવાર થાક લાગવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેના લીધે દિવસ દરમિયાન કામ કરવામાં પણ મજા આવતી નથી.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ફક્ત ત્રણ દિવસ માટે એક ઉપાય કરવાનો રહેશે, જેનાથી તમને તરત જ 100% સારા પરિણામની પ્રાપ્તિ થશે.

આ ઉપાય કરવામાં પણ એકદમ આસાન છે, જેને કોઇ પણ વ્યક્તિ પોતાના ઘરે આસાનીથી કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કયા કયા પરિણામ પ્રાપ્ત થાય છે.

આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ગ્લાસ ભરીને દૂધ લઈ લેવાનું રહેશે. જેમાં તમારે પંદરથી વીસ કિશમિશ, ત્રણથી ચાર દાણા અખરોટ અને ત્રણથી ચાર દાણા ખજૂરના ઉમેરી દેવાના રહેશે. જો તમારા ઘરે ખજૂર ન હોય તો તમે ખારેક નો પણ ઉપયોગ કરી શકો છો. આ ત્રણેય વસ્તુઓને દૂધમાં ઉમેરીને તેને સવારે ઊઠીને પીવાનું રહેશે.

તમારી આ ડ્રીંક બનાવવા માટે સૌથી પહેલાં એક ગ્લાસ દૂધમાં 15થી 29 કિશમિશ ઉમેરવાની રહેશે. ત્યાર બાદ તમારે અખરોટ નાના-નાના ટુકડા કરીને તેને દૂધમાં ઉમેરવા પડશે. આ જ રીતે તમે ખજૂરના પણ નાના ટુકડા કરીને દૂધ મેળવી શકો છો.

હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને પાંચ મિનિટ સુધી બરાબર ગરમ થવા દો. ત્યારબાદ જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડું થાય ત્યારે તેનું સેવન કરો. તમે આ ડ્રીંક નો ઉપયોગ નાસ્તામાં પણ કરી શકો છો.

આ ઉપાય કરવાથી તમારા શરીરમાં કાયમી ધોરણે નબળાઈ દૂર થઈ જશે અને તમે યોગ્ય રીતે કાર્ય કરી શકશો. વળી જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા લોકો માટે પણ આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે.

જે લોકોને દિવસ દરમિયાન થાક લાગે છે અને પોતાના કાર્યમાં તેઓ ધ્યાન આપી શકતા નથી તો તેવા લોકોએ તો આ ડ્રીંક નો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી તમારા શરીરમાં નબળાઈ રહેશે નહિ અને થાકની સમસ્યા પણ કાયમી ધોરણે દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *