દોસ્તો આજના સમયમાં સુંદર દેખાવું એ સ્ત્રી અને પુરુષ બંને માટે જરૂરી થઈ ગયું છે. સુંદર દેખાવા માટે પુરુષો પણ સલૂનમાં અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા થયા છે.
જો કે ઘણા લોકો આવું કરાવી શકતા નથી. કારણ કે તેમને ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ એવી હોય છે જે અનેક પ્રયત્નો પછી પણ દુર થતી નથી. ત્વચાની સમસ્યા હોય છે જ એવી કે જે એકવાર થાય તો પછી તેને મટતા ખૂબ વાર લાગે છે.
ઘણા લોકો તો દવા કરી કરીને કંટાળી જાય છે પણ તે ત્વચાની સમસ્યા મટવાનું નામ નથી લેતી. પરંતુ આવી હઠીલી ત્વચાની સમસ્યાઓને દુર કરવાનો ઉપાય આજે તમને જણાવીએ.
1. જો ત્વચા ઉપર ધાધર કે ખરજવું થયું હોય તો તેના માટે લસણનો આ પ્રયોગ કરો. લસણ ચામડીના રોગ ઝડપથી મટાડે છે. તેના માટે લસણની કળીને બરાબર સાફ કરી વાટી લેવી અને તેની પેસ્ટને ધાધર પર લગાવો.
2. તાજા અને પાકેલા ટામેટા પણ ચામડીના રોગને મટાડે છે. તેના માટે તાજા ટામેટાને પીસી તેના રસમાં નાળિયેર ઉમેરી આ પેસ્ટને ધાધર પર લગાવો. અડધા કલાક પછી ઠંડા પાણીથી ત્વચાને સાફ કરો.
3. નીલગીરીમાં એન્ટી ફંગલ તત્વો હોય છે જે બેક્ટેરિયાનો નાશ કરે છે. તમારી ત્વચાની ધાધરને પણ નીલગીરી દુર કરી શકે છે. તેના માટે નાળિયેરના તેલમાં નિલગીરી મિક્ષ કરી તેને એક સપ્તાહ સુધી લગાવો.
4. આ વાત જાણીને તમને આંચકો લાગશે પણ ચર્મ રોગને દુર કરવાનો સૌથી બેસ્ટ રસ્તો છે યૂરીન. જી હાં 3 થી 4 દિવસ જુના યૂરીનનો ઉપયોગ ત્વચા પર કરવાથી કોઈપણ ચર્મ રોગ મટે છે.
5. હળદરનો ઉપયોગ તો દરેક સ્વાસ્થ્ય સમસ્યામાં થાય છે. આ જ રીતે હળદર ચામડીના રોગ પણ મટાડે છે. હળદરને પાણીમાં ઉમેરી ગરમ કરો અને ઘટ્ટ લેપ બનાવી લો. તેને ત્વચા પર લગાવો. તેનાથી ધાધર મટે છે.