આયુર્વેદ

મફતમાં રસ્તા પર મળી આવતી આ વનસ્પતિથી શરીરના દુઃખાવા, માથાનો દુખાવો, સોજો વગેરેથી મળશે 100% આરામ.

દોસ્તો સામાન્ય રીતે આપણે બીલીનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરતા હોઈએ છીએ અને શંકર ભગવાનને પણ બીલી ખૂબ જ પસંદ છે અને તેમની પૂજા બિલીપત્ર વગર અધૂરી માનવામાં આવે છે પંરતુ શું તમે જાણો છો કે તમે બીલીનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. હકીકતમાં બીલીમાં રહેલા ઔષધિય ગુણો દવાઓ વગર ઘણી બીમારીઓથી છૂટકારો અપાવવાનું કામ કરે છે.

સામાન્ય રીતે બીલીનો ઉપયોગ શરબત તરીકે, જ્યુસ તરીકે કરવામાં આવે છે પંરતુ જો તમે બીલીનો ઉપયોગ લેપ સ્વરૂપે કરો છો તો તમને ઘણા લાભ થઈ શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને બીલીનો લેપ સ્વરૂપે ઉપયોગ કરવાથી કઈ કઈ બીમારીઓથી દુર રહી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યારે આપણને માથાનો દુખાવો થાય છે ત્યારે આપણે કોઈ કામ કરી શકતા નથી પંરતુ જો તમે બીલીના જડને સુકવીને પાવડર બનાવી લો છો અને તેમાં થોડોક પાણી ઉમેરીને માથા પર લગાવો છો તો તમને માથાના દુખાવાથી તરત જ આરામ મળી જાય છે અને તમને ઠંડક પણ મળે છે. આ સિવાય જો તમે સુતરાઉ કાપડમાં બીલીના પાનનો જ્યુસ કાઢીને માથા પર મૂકો છો તો પણ માથાના દુઃખાવાથી આરામ મળી શકે છે.

જો તમે આંખોના દુઃખાવા અથવા બળતરા નો સામનો કરી રહ્યા છો તો તમારે બીલીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે બીલીના પાનનો લેપ બનાવીને આંખો પર લગાવવાનો રહેશે. આ સિવાય તમે બીલીના પાન પર ઘી લગાવીને આંખો પર મૂકી શકો છો અને આંખ પરથી પાન ના ખસે એટલા માટે પટ્ટી બાંધી શકો છો. જેનાથી તમને ઠંડક મળશે અને દુખાવાથી પણ આરામ મળી જશે.

જો તમે સોજાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે બીલીના પાનનો જ્યુસ બનાવી લેવો જોઈએ અને તેને ગરમ કરવા માટે મૂકી દેવો પડશે. હવે તમારે સૌથી પહેલા આ ગરમ થયેલા જ્યુસ ને ઘટ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર તેને લગાવવાનો રહેશે. આ ઉપાય કરવાથી પણ તમને આસાનીથી સોજાની સમસ્યાથી છુટકારો મળી જશે.

જો તમારા વાળમાં ખોડો થઈ ગયો છે અને તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે બીલીનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં બીલીના ઝિંક મળી આવે છે, જે વાળને ચમકદાર બનાવીને ખોડોની સમસ્યાથી રાહત આપવાનું કામ કરે છે. આ માટે તમારે બીલીના પાનના રસમાં લીંબુ અને મધ ઉમેરીને વાળમાં લગાવવું પડશે અને જ્યારે વાળમાં આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે શેમ્પૂ વડે વાળ ધોવા પડશે. આ ઉપાયથી ખોડોની સમસ્યાથી રાહત મળી જશે.

જો તમે ત્વચા પરના રંગને લઈને પરેશાન છે તો તમારે બીલીના જ્યૂસને પ્રભાવિત જગ્યાએ લગાવવાનો રહેશે. જેનાથી તમને ચર્મરોગ થશે નહીં અને પાંડુરોગ થી પણ આસાનીથી છુટકારો મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *