આયુર્વેદ

પેટનો દુખાવો, દાંતની સમસ્યા, હાઈ બીપી જેવી બિમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યૂસ, મળે છે 90% ફાયદા.

દોસ્તો અનાનસ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે, જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ રામબાણ માનવામાં આવે છે. જેનો તમે ઉપયોગ કરીને ઘણા રોગોથી કાયમ માટે દૂર રહી શકો છો. તમે અનાનસને સલાડ સ્વરૂપે પણ ખાઈ શકો છો અથવા તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો અને પૌષ્ટિક ગુણો નો ભંડાર હોય છે.

જેમાં ઓછી કેલેરી હોવાને કારણે તમારું વજન ઓછું કરવા માટે પણ કામ કરે છે અને તેમાં ફાઈબર, વિટામીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેંગેનિઝ જેવા ખનીજતત્વો મળી આવે છે.

અનાનસમાં વિટામિન સીની માત્રા વધારે હોવાથી તેના ફાયદા તમને ઈમ્યુનીટી સિસ્ટમ વધારવામાં મદદ કરે છે અને જો ઇમ્યૂનિટીને સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે તો તમે વિભિન્ન પ્રકારના વાયરલ રોગ શરદી, તાવ થી બચી શકો છો.

આ સિવાય અનાનસમાં ફાઈબરની માત્રા વધુ મળી આવે છે, જે પેટને દુરસ્ત રાખવા માટે કામ કરે છે અને પેટ સંબંધી અનેક બીમારીઓ પણ દૂર થઈ જાય છે. આ સિવાય તેમાં બ્રોમેલેન નામનું તત્વ મળી આવે છે, જે મળ ત્યાગ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

અનાનસમાં નેચરલ એન્ટિ ઇન્ફ્લેમેટરી મળી આવે છે. જે શરીરમાં સોજો અને બળતરાથી રાહત આપે છે આ સિવાય જો તમે માંસપેશીઓના દુઃખાવાનો સામનો કરો છો તો પણ તમે અનાનસના ઉપયોગ કરી શકો છો.

અનાનસના મળી આવતા તત્વો શરીરને અંદરથી સાફ રાખીને કોશિકાઓના ક્ષયને રોકવા માટે કામ કરે છે. આ સાથે જોબતમારી ઉંમર સાથે આંખો નબળી પડી ગઈ હોય તો પણ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે અને અનાનસમાં કુદરતી પોષક તત્વ મળી આવે છે, જે ઘણી બીમારીઓ સામે રોકવામાં મદદ કરે છે.

દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે પણ અનાનસનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી દાંત મજબુત મળે છે અને પેઢામાં સોજાની સમસ્યા દૂર થઈ જાય છે.

જો તમે હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાવ છો તોપણ અનાનસનું જ્યુસ ડેઇલી ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાં પોટેશિયમ વધારે મળી આવે છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. જેના કારણે શરીરમાં રક્તનો પ્રવાહ નિયંત્રિત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *