આયુર્વેદ ઘરેલું ઉપચાર

શરીરમાંથી ગમે તેવી એર્લજી દૂર કરવાનું કામ કરે છે આ છોડ, કેન્સર જેવી જીવલેણ બિમારીઓનો પણ છે રામબાણ ઉપાય.

શરીરમાંથી ગમે તેવી એર્લજી દૂર કરવાનું કામ કરે છે આ છોડ, કેન્સર જેવી જીવલેણ બિમારીઓનો પણ છે રામબાણ ઉપાય.

આજના સમયમાં લોકો વિવિધ પ્રકારની બીમારીનો સામનો કરી રહ્યા છે, જેમાંથી કેટલાક રોગો તો એવા છે કે જેનાથી કાયમી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. જોકે તમે પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ ભેટનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી દવાઓ વગર છુટકારો મેળવી શકો છો. આ સાથે તેના ઉપયોગથી કોઈ આડઅસર પણ થતી નથી.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઘણા રોગોને આસાનીથી દૂર કરી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ છોડ કયો છે.

જો તમને ત્વચા પર ધાધર, ખરજવુ, ખંજવાળ વગેરેની સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે બારમાસીના પાનને ઘરે લાવીને તેને સૂકવી લેવા જોઈએ, ત્યારબાદ તેનો પાવડર બનાવીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી રાહત મળી શકે છે.

જો તમારી ત્વચા પર એલર્જીની સમસ્યા રહે છે તો તમારે બારમાસી ના પાન ને તોડી તેનો રસ બનાવી લેવો જોઈએ. હવે તેને એલર્જી ની જગ્યા દિવસમાં બેથી ત્રણ વખત લગાવવાથી તમને રાહત મળી શકે છે.

જો તમને કોઈ મધમાખી અથવા બીજો કોઈ ઝેરી જાનવર કરડવાને લીધે લાલ નિશાન થયા હોય તો તમારે તે સ્થળ પર બારમાસી ના ફૂલ નો રસ લગાવવો જોઈએ, જેનાથી તમને રાહત મળી શકે છે. શિવા જો તમને હરસ-મસાની સમસ્યા હોય તો પણ તમે બારમાસીના પાંદડાનો રસ કાઢીને રાતે સુતા પહેલા પી શકો છો, જેનાથી તમને રાહત મળશે.

જો તમે કેન્સર જેવી બીમારીઓનો સામનો કરી રહ્યા છો તો તમારે બારમાસી નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે બારમાસીમાં એવા ગુણધર્મો મળી આવે છે, જે કેન્સરના કોષોનો વિકાસ અટકાવે છે અને કેન્સરથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *