આ દાળનો અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરી લેશો તો થશે અદભુત ફાયદા, માથાની ચોટી થી લઈને પગની એડી સુધીના રોગો થશે છુમંતર.

આ દાળનો અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરી લેશો તો થશે અદભુત ફાયદા, માથાની ચોટી થી લઈને પગની એડી સુધીના રોગો થશે છુમંતર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને અડદની દાળનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજ પહેલા તમે અડદની દાળનો ઉપયોગ ભોજનમાં ઘણી વખત કર્યો હશે પંરતુ તેનાથી થતા લાભ વિશે ભાગ્યે જ તમે માહિતગાર હશો.

આ સિવાય તેનો ઉપયોગ કરવાની પણ ખાસ રીત છે, જેનાથી તમે વધારે લાભ ઉઠાવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે અડદની દાળનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેના ઉપયોગ થી કયા લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મહિલાઓ માટે અડદની દાળ અમૃત સમાન માનવામાં આવે છે. અડદની દાળમાં એવા પોષક તત્વો મળી આવે છે, જે પ્રસૂતિ પછી મહિલાઓને ધાવણ આવવામાં સમસ્યા થતી હોય તો તે દૂર કરી શકે છે.

આ સિવાય મહિલાઓમાં અનિયમિત માસિક ની સમસ્યા પણ બહુ રહેતી હોય છે. જોકે અડદની દાળ આ અડદની દાળ આ સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. જે પુરુષોની પ્રજનન શક્તિ ઓછી થઈ ગઈ છે અથવા વીર્યનું પ્રમાણ બહુ ઓછું થાય છે, એવા લોકોએ અડદની દાળને ભોજનમાં શામેલ કરવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હકીકતમાં અડદની દાળના બાકી દાળ કરતા ખાસ પ્રકારનું પ્રોટીન મળી આવે છે, જેના સેવન માત્રથી પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારી શકાય છે. આ સાથે જે લોકોને સંભોગ કરતી વખતે અચાનક અનિચ્છા થતી હોય તેવા લોકો પણ અડદની દાળનું સેવન કરી શકે છે.

જે લોકો દિવસ દરમિયાન આળસ, નબળાઈ, થાક જેવી સમસ્યાઓનો સામનો કરે છે, એવા લોકોએ ભોજનમાં અડદની દાળ શામેલ કરવી જોઈએ. હકીકતમાં અડદની દાળમાં મળી આવતું નત્રલ દ્રવ્ય શરીરને શક્તિ આપે છે અને દિવસ દરમિયાન શરીરમાં ઊર્જા રહે છે. આ સિવાય તેના સેવનથી શરીર મજબૂત બનીને રહે છે.

જો તમે અડદની દાળને વાટીને તેનો લેપ બનાવી લો છો ત્યારબાદ તેને માથા પર લગાવો છો તો તેની ઠંડી અસર માથાનો દુઃખાવો અને તણાવ, ચિંતાને દૂર કરવા માટે કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમને હિચકી આવવાની સમસ્યા થઇ ગઇ છે અને તેનાથી રાહત મળી રહી નથી તો,

તમારે અડદની દાળને સળગતા કોલસા પર મૂકીને તેમાંથી નિકળતો થોડોક ધુમાડો લેવો જોઈએ. જેનાથી તમારી હેડકી આવવાની સમસ્યા દૂર થઈ જશે. જો તમે રાતે અડદની દાળને પલાળીને સવારે તેને દૂધ અને સાકર સાથે મિક્સ કરીને ખાવ છો તો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે,

આ સાથે તેનાથી રક્તચાપ ની સમસ્યા થી પણ છુટકારો મળી શકે છે. આ સિવાય જે લોકો હૃદય રોગનો સામનો કરે છે, એવા લોકોએ તો અડદની દાળનો ઉપરોક્ત જણાવેલ ઉપાય કરવો જ જોઈએ.

જો તમારા માથામાં ટાલ પડી ગઈ છે અને વાળ આવી રહ્યા નથી તો તમારે અડદની દાળને પાણીમાં મિક્સ કરીને ઉકાળી લેવી જોઈએ. ત્યારબાદ તેને વાટીને પાવડર બનાવી લેવો જોઈએ અને તેને માથા પર લગાવવાથી જે વિસ્તારમાં વાળ આવી રહ્યા નથી તે વિસ્તારમાં વાળ આવવા લાગે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment