સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે ચા આપણા જીવનનો અહમ ભાગ છે. કારણ કે લોકો પોતાના દિવસની શરૂઆત સૂર્યના કિરણથી નહી પંરતુ ચાની ચુસ્કી સાથે કરે છે. જો આપણે ભારત દેશની વાત કરીએ તો અહી ચાના રસિયાઓની કોઈ કમી નથી. જોકે કેટલાક ભોજન એવા પણ છે કે જેનો ચા સાથે ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
આજકાલ લોકો સમયના અભાવને લીધે ચા સાથે જે કંઇપણ વસ્તુ હોય તેનું સેવન કરી લેતા હોય છે પંરતુ સ્વાસ્થય માટે આ યોગ્ય નથી. કેટલીક ચીજ વસ્તુઓ એવી પણ છે કે જેનો ચા સાથે ઉપયોગ કરવો જોઈએ નહી. કારણ કે તેને ચા સાથે લેવાથી સ્વાસ્થય સબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ચીજ વસ્તુઓ કંઈ કંઈ છે.
1. ચા સાથે બેસન ના લોટની ચીજ વસ્તુઓ ના ખાવી જોઈએ :- તમે ધ્યાન આપ્યું હોય તો લોકો ચા સાથે બેસન યુક્ત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેમાં પકોડા, ગોટા જેવી ચીજ વસ્તુઓ શામેલ છે. જોકે તમારે યાદ રાખવું જોઈએ કે બેસન યુક્ત ચીજ વસ્તુઓ સાથે ચાનું સેવન કરવાથી પાચન સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
2. ચા પીધા પછી પાણીનું સેવન કરવું જોઈએ નહીં :- તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો ચા પીધા પછી તરત જ પાણીનું સેવન કરતા હોય છે અથવા કોઈ ઠંડી ચીજ વસ્તુ ખાઈ લેતા હોય છે. જોકે યાદ રાખો કે તમારે ચા પીધા પછી તરત જ પાણી કે બીજી ઠંડી વસ્તુઓ ના ખાવી જોઈએ. કારણ કે તેની પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેનાથી ગેસ અથવા એસિડિટી ની પણ શક્યતા રહે છે.
3. ચા સાથે અથવા પીધા પછી લીંબુનું સેવન ના કરવું જોઈએ :- તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો ચા માં લીંબુનો રસ મિક્સ કરીને લેમન ટી પીતા હોય છે. જોકે તમારે યાદ રાખવું જોઈએ કે લેમન ટી તમારા માટે હિતાવહ નથી. કારણ કે તેનાથી તમને એસિડિટી, ઉલ્ટી, પેટમાં બળતરાં વગેરેનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારે ચા પીધા પછી તરત જ પણ ચાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
4. ચા સાથે હળદર યુક્ત ચીજ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ :- ચા પી લીધા પછી તમારે હળદર યુક્ત ચીજ વસ્તુઓ એટલે કે જે વસ્તુઓમાં હળદર નાખી હોય તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તેનાથી ચા અને હળદર એકબીજા સાથે રાસાયણિક ક્રિયાઓ કરીને પાચન ક્રિયાને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે ચા સાથે પણ હળદર સેવન કરવાથી સ્વાસ્થય ને નુકસાન થઈ શકે છે.
5. ચા સાથે કાચી ચીજ વસ્તુઓ ખાશો નહીં :- ચા સાથે કાચી ચીજ વસ્તુઓ ખાવી સ્વાસ્થય માટે સારું માનવામાં આવતું નથી. તેનાથી શરીર અને સ્વાસ્થય બંનેને નુકસાન થઈ શકે છે. આ માટે ચા સાથે ફણગાવેલ કઠોળ અને અનાજનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.