એસિડિટી અને કબજિયાત સહિત ઘણી સમસ્યાઓ દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાય, 100 ટકા અસરકારક ઉપાય.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે એસિડિટી, કબજિયાત, ઊંઘની સમસ્યા, પેટનો વિકાર સહિત બીજી અગણિત બીમારીઓ દૂર કરવામાં મદદ મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે એસિડિટી ની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે સૌથી પહેલા હરડે અને દ્રાક્ષ ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડીક સાકર ઉમેરી લેવી જોઈએ. ત્યારબાદ તેને દરરોજ સવારે ચમચી ભરીને લેવાથી તમને એસિડિટી થી રાહત મળી શકે છે.

જો તમે ગંઠોડા અને સાકરને મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી ને દરરોજ સવારે તેની ચપટી ફાકી કરો છો તો તેનાથી તમને એસિડિટી થશે નહિ. આ સિવાય તમે બપોરે જમતા પહેલા લીંબુનો રસને પાણીમાં મિક્સ કરીને તેમાં ખાંડ ઉમેરી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને રાહત મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને પેટમાં અથવા તો છાતીમાં બળતરા થઈ રહી છે તો તમારે સમજી લેવું જોઈએ કે એસિડિટી ચરમ સીમા પર છે. આવામાં તમારે ધાણાજીરું અને સાકર ને મિક્સ કરીને પાવડર બનાવીને ખાઈ લેવું જોઈએ, રાહત થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં ઘીમાં શેકેલા મરી અને સવાર અનુસાર ખાંડ ઉમેરીને રાતે પી લેવામાં આવે તો એસિડિટી થતી નથી.

જો તમને કબજિયાત ની સમસ્યા થઈ રહી છે તો તમારે સમજી લેવું જોઈએ કે તેની પાછળ તમારું પેટ જવાબદાર છે. આવામાં તમારે ટામેટાનો રસ કાઢીને તેનું સેવન કરી લેવામાં આવે તો આંતરડામાં જામી ગયેલ મળ બહાર નીકળી જાય છે અને પેટ સાફ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને કાયમી કબજિયાત રહેતી હોય તો તમારે સવારે ઊઠીને ગરમ પાણી પીવાની ટેવ બનાવવી જોઈએ. કાળી દ્રાક્ષને રાત દરમિયાન પલાળી રાખી તેને સવારે ઊઠીને પાણીમાં મસળીને લેવાથી કબજીયાત મટે છે.

તમે સવારે ગરમ પાણીમાં અથવા દૂધમાં મધ મિક્સ કરીને સેવન કરો છો તો પેટ સાફ થઈ જાય છે અને કબજિયાત થી રાહત થાય છે. અજમાના પાવડરમાં સેંધા નમક મિક્સ કરીને ફાકી કરવાથી કબજિયાત દૂર થાય છે. ભોજનમાં હિમેજ ને શામેલ કરવાથી કબજિયાત મટે છે. જાયફળ ને લીંબુના રસમાં ઉમેરીને લેવાથી પણ રાહત થઈ શકે છે.

જો તમને આખો દિવસ કામ કર્યા પછી રાતે શાંતિથી સૂઈ શકતા નથી તો તમારે જાયફળ નો પાવડર અને પાણી મિક્સ કરીને લઈ લેવું જોઈએ. આ સાથે રાતે સૂતા પહેલા તમારે હાથ પગ સાફ કરી લેવા જોઈએ અથવા તો સ્નાન કરીને ઊંઘવાની કોશિશ કરવી જોઈએ.

તમે વરિયાળી, દૂધ અને સાકર ને મિક્સ કરીને ડ્રીંક બનાવીને સેવન કરી લેવું જોઈએ. દૂધમાં ખાંડ અને ગંઠોડા ને પાવડર બનાવીને મિક્સ કરીને લેવાથી પણ રાત દરમિયાન શાંતિથી ઊંઘ લઇ શકાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment