દોસ્તો આજના આધુનિક સમયમાં આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરવાને લીધે અને ભોજન ના પચવાને કારણે અનેક પેટના રોગો પેદા થાય છે. આ સાથે ઘણા લોકો તો એવા છે કે જેમને કાયમી પેટના રોગોનો સામનો કરવો પડે છે. જો તમારી સ્થિતિ પણ આવી જ છે તો તમારે આ લેખ અંત સુધી વાંચવો જોઈએ.
તમને જણાવી દઈએ કે જ્યારે તમારા આંતરડામાં કચરો જામી જાય છે ત્યારે પાચન શકતી નબળી પડવા લાગે છે. જેના લીધે ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી. આવામાં તમારે સમય સમય પર આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ આંતરડાની સફાઈ કરવા માટે યોગ્ય ઉપાય શોધી રહ્યા છો તો આજનો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
જો તમે પેટમાં રહેલો કચરો બહાર કાઢવા માંગો છો તો તમારે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરી લેવું જોઈએ. જેનાથી પેટમાં જામેલો કચરો બહાર આવી જશે. આ સાથે જો તને વજન વધારાનો સામનો કરી રહ્યા છો તો પણ રાહત મળશે.
જો તમે અજમા અને ગોળના નાના લાડુ બનાવીને સેવન કરો છો તો પણ પેટના રોગોથી છુટકારો મળે છે. આ માટે સૌથી પહેલા એક ગ્રામ અજમો અને એટલો જ ગોળ લઈને બંનેને મિક્સ કરી લો. ત્યારબાદ દિવસમાં બે વખત તેનું સેવન કરો. આનાથી તમને જલદી ફરક જોવા મળશે
જો તમારા પેટ અથવા આંતરડામાં બેક્ટેરિયા જમા થઈ ગયા છે અને દૂર થવાનું નામ લઈ રહ્યા નથી તો તમારે દાડમની છાલનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા દાડમની છાલ કાઢીને તેને તડકામાં સૂકવી લો. હવે જ્યારે છાલ સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઉન્ડ કરીને પાવડર બનાવી લો. ત્યારબાદ તેને પાણી સાથે દિવસમાં બે વખત લેવાથી ખરાબ બેક્ટેરિયા નો નાશ થાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સેંધા મીઠું અને મરીનો ગ્રાઇન્ડ કરીને ટામેટા જ્યુસ સાથે લેવામાં આવે તો આંતરડામાં જામી ગયેલો કચરો ઝાડા વાટે બહાર આવી જાય છે. જો તમે ભોજનમાં લસણની ચટણી નો અઠવાડિયામાં ત્રણ વખત સેવન કરો છો તો તમને ક્યારેય પેટમાં બેક્ટેરિયા જામી જવાની સમસ્યા થતી નથી.
જો તમે દહી અથવા પાણી સાથે સવારે અને સાંજે કાચી કેરીની ગોટલી લેવામાં આવે તો પણ તમને પેટના રોગોથી રાહત મળી જાય છે. આ સાથે તમારે દરરોજ ભોજન કર્યા બાદ છાશ પીવાની ટેવ બનાવવી જોઈએ. આનાથી તમને રાહત મળી શકે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.