તમે પણ દિવસ દરમિયાન વધુ પડતી રોટલી ખાતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર બની શકો છો આ બીમારીઓના શિકાર.

સામાન્ય રીતે ઉત્તરભારતના લોકો વધુ પ્રમાણમાં રોટલીનું સેવન કરતા હોય છે. અહીં તમને દિવસના બંને ટંક રોટલી ખાતા લોકો જીવ મળી જાય છે. જોકે એમાં કોઈ બેમત નથી કે રોટલી ખાવાથી શરીરને લાભ થાય છે પંરતુ જ્યારે તમે દિવસ દરમિયાન વધુ પડતી રોટલી નું સેવન કરો છો તો શરીરને બીજા પોષક તત્વો મળી શકતા નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેના લીધે વ્યક્તિ અનેક બિમારીઓનો શિકાર બની જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વધારે પ્રમાણમાં રોટલી ખાવાથી થતા નુકસાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમારે જાણવું જોઇએ.

વજનમાં વધારો :- રોટલીમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ મહત્વ નું છે. જોકે તેની સાથે સાથે રોટલીમાં ગ્લુટોન મળી આવે છે. જેનાથી ગ્લુટોન રોગ થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વળી વધુ પ્રમાણમાં રોટલીનું સેવન કરવાથી વજન વધારો થવાની શક્યતા પણ રહેલી છે. આજ કારણ છે કે અમુક રાજ્યોમાં કે જ્યાં વધારે રોટલી ખાવામાં આવી છે ત્યાં મેદસ્વીપણાની સમસ્યા વધારે છે.

બ્લડ સુગરની સમસ્યામાં વધારો :- તમને જણાવી દઈએ કે વધારે પ્રમાણમાં રોટલી ખાવાથી ડાયાબિટીસ ની સમસ્યામાં વધારો થઈ શકે છે. હકીકતમાં રોટલી માં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેનાથી બિપીની સમસ્યા વધવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં નિષ્ણાત લોકો કહે કે બધા જ પોષક તત્વોનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ, જેથી બ્લડ સુગર ની માત્રા નિયંત્રણમાં રહી શકે છે.

થાક લાગવો :- જ્યારે તમે બંને ટંક ભોજનમાં રોટલી અને શાકભાજી નું સેવન કરે છે તો શરીરમાં થાક લાગવા લાગે છે. હકીકતમાં રોટલીમાં મળી આવતું કાર્બોહાઈડ્રેટ શરીરમાં આળસનું પ્રમાણ વધારે છે.

જેના લીધે આળસ અને થાક બંને અનુભવાય છે. આવી સ્થિતિમાં તમારે દિવસ દરમિયાન પ્રફુલ્લિત રહેવા માટે યોગ્ય માત્રામાં રોટલી નું સેવન કરવું જોઈએ.

વધારે ગરમી લાગવી :- જ્યારે તમે વધારે પ્રમાણમાં રોટલીનું સેવન કરો છો તો હિટ પ્રોડક્શનમાં વધારો થાય છે. જેનાથી શરીરમાં પરસેવો આવવાની સમસ્યા થાય છે. આ સાથે શરીરમાં રોટલી વધારે ખાવાથી પાણીની પણ કમી વારંવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારે વધારે રોટલી ખાવાની ટાળવી જોઈએ.

શરીરમાં ફેટની માત્રા વધવી :- જ્યારે તમે વધારે પ્રમાણમાં રોટલી નું સેવન કરો છો તો તેમાં મળી આવતું કાર્બોહાઈડ્રેટ ફેટના સ્વરૂપમાં પરિવર્તિત થઇ જાય છે. જે શરીરમાં ધીમે ધીમે જમા થવા લાગે છે અને મોટાપો માં વધારો થાય છે. તેનાથી હૃદય રોગ, ડાયાબીટીસ જેવા રોગો થવાની શક્યતા રહે છે.

પેટ ફૂલવું :- સામાન્ય રીતે શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય ત્યારે પેટના ભરાવો થઈ જાય છે. આવું જ કંઇક તમે વધારે રોટલી ખાવ છો ત્યારે થાય છે. હકીકતમાં રોટલી ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ વર્તાય છે. તેનાથી પેટ ફૂલી જવું, ગેસ, અપચો થવાની શક્યતા રહે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment