ભર ગરમીમાં પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે આ ખાસ વસ્તુ, અનિંદ્રા, ચહેરા પર ખીલ, એસિડિટી, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓમાં મળી જશે રાહત…

સામાન્ય રીતે આજ સુધી તમે ગુલકંદ નો ઉપયોગ પાન સાથે કર્યો હશે. જોકે તમે તેનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓ સાથે પણ કરી શકો છો. ગુલકંદ ગુલાબની પાંખડીઓ થી બનાવવામાં આવે છે, જેથી તે સ્વાસ્થયની દ્વષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની જાય છે. ઘણા લોકો તેને ગુલાબ જામ તરીકે પણ ઓળખે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેના સેવનથી શરીરને ઠંડક મળે છે અને તે ગુલાબ માંથી બનતું હોવાને કારણે તેનાથી હ્રદય રોગ, આળસ, નબળાઈ, એસિડિટી, અનિંદ્રા, ચહેરા પર ખીલ, ડાઘની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે તેમાં એવા કેટલાક ગુણો જોવા મળે છે, જે શરીરમાંથી ટોકસિન બહાર કાઢવા માટે કામ કરે છે. હવે ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે સમજ મેળવીએ.

ચહેરા પરથી ખીલની સમસ્યા દૂર કરવા માટે કારગર :- સામાન્ય રીતે ગુલકંદ નો ઉપયોગ બધા જ લોકો ખાવા માટે કરતા હોય છે. જોકે તેનો ઉપયોગ જેટલો ખાવા માટે થાય છે એટલો જ ઉપયોગ તેનાથી શરીરના બધા જ અંગોને સ્વસ્થ રાખવા માટે થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગુલકંદ માં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે, જે શરીરને મૂળમાંથી મજબૂત બનાવવા માટે કામ કરે છે. ગુલકંદ નો ઉપયોગ ચહેરા પરના ખીલની સમસ્યા દૂર કરવા માટે થાય છે. તેનાથી શરીરને તો ઠંડક મળે જ છે સાથે સાથે ચહેરા પરના ખીલ, ડાઘ અને બ્લેક હેડ્સ ની સમસ્યા દૂર થઈ જાય છે.

એસિડિટી ની સમસ્યા દૂર કરવા :- આજના સમયમાં લોકોને ખોટી ખાવાપીવાની ટેવ અમે ખરાબ જીવનશૈલીના કારણે લોકો પેટ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી જ એક સમસ્યા એસિડિટીની છે, જે પેટમાં બળતરા અને ખાટા ઓડકાર નું કારણ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આવી સ્થિતિમાં તમે ભોજનમાં ગુલકંદ ને શામેલ કરીને પેટને ઠંડક આપી શકો છો. તેનાથી પેટની સમસ્યા પણ દૂર થઈ જશે. ગુલકંદ શરીરને બેક્ટેરિયા મિક્સ રાખીને આંતરડાને સાફ રાખવા માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે એસિડિટી ની સમસ્યા દૂર કરવા માટે તમે દૂધ સાથે ગુલકંદ નું સેવન કરી શકો છો.

ઊંઘ ના આવવા પર :- આજના સમયમાં લોકો એટલા તણાવ અને ચિંતામાં રહે છે કે તેઓ યોગ્ય સમયે ઊંઘ લઇ શકતા નથી. જેની અસર ચહેરા પર દેખાવા લાગે છે.

આવી સ્થિતિમાં જો તમે તણાવ થી દૂર રહેવા માંગો છો તો ગુલકંદ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે તણાવ ને દૂર કરવા માંગો છે તો તમે દૂધ સાથે ગુલકંદ નું સેવન કરી શકો છો. તેનાથી તમને માનસિક શાંતિ પણ મળી જશે અમે તમને મીઠી ઊંઘ પણ આવશે.

તમે ઘરબેઠા આવી રીતે તૈયાર કરી શકો છો ગુલકંદ :- આજના સમયમાં કોરોના વાયરસનાં ડરને કારણે બહાર જવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં તમે ઘરે જ ગુલકંદ બનાવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા ગુલકંદ ને સાકાર સાથે મિક્સ કરીને વાટી લેવો જોઈએ. હવે તમે તેને હવા ચુસ્ત વાસણમાં ભરી લેવું જોઈએ. તેનાથી તમે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો છો.

ગુલાબની સુંગંધ વિશે તો બધા જ લોકોને ખબર હોય છે પણ તેનાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછાં લોકો માહિતગાર છે. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ અને શક્ય લાભ મેળવી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment