આરોગ્ય

દરરોજ આ ચૂર્ણને ચપટીભર ખાઈ લેશો તો 100થી વધુ બીમારીઓ થઇ જશે છૂમંતર, ક્યારેય ચઢવા નહિં પડે દવાખાનાના પગથિયાં..

દોસ્તો આજ પહેલા તમે ઘણી વખત ત્રિફળા વિશે સાંભળ્યું હશે. ત્રિફળા એ ત્રણ ઔષધોનું મિશ્રણ છે. જે તમારા શરીરમાં રહેલી મોટાભાગની બીમારીઓ દૂર કરીને તમને સ્વસ્થ શરીર આપવામાં કામ કરે છે. વળી તેનાથી કલિકલી આડઅસર થઇ શકતી નથી. જો તમે દરરોજ યોગ્ય રીતે ત્રિફળાનો ઉપયોગ કરો છો તો તેનાથી પાચન શક્તિ યોગ્ય રહે છે અને તમારું વજન પણ વધી શકતું નથી.

આ સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને ત્રિફળાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જો તમે વારંવાર વાયરલ બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી પીડિત થઇ જાવ છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી રોગ પ્રતિકારક શકિત ખૂબ જ નબળી છે. આવી સ્થિતિમાં તેને મજબૂત કરવા માટે તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં રહેલા પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે કામ કરે છે.

જો તમે રાતભર ઊંઘ લીધા પછી પણ સવારે યોગ્ય રીતે કામ કરી શકતા નથી અને આખો દિવસ આળસ, નબળાઈ અને અશક્તિ રહે છે તો પણ તમારે ત્રિફળાનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી તમારા શરીરમાં કામ કરવાની ઊર્જા મળે છે અને આખો દિવસ ઉર્જામય રહી શકો છો. આ માટે સૌથી પહેલા ત્રિફળા ચૂર્ણ લઈને તેમાં મધ અથવા તો ઘી ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

જો તમે દરરોજ ત્રિફળાનો ઉપયોગ કરો છો તો તમારો ખોરાક તમને આસાનીથી પચી જાય છે અને તમને કોઈ પેટ સાથે જોડાયેલ રોગ જેમ કે ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાથી રાહત મળે છે. આ સાથે તેનાથી પેટમાં રહેલી અશુદ્ધિ પણ બહાર નીકળી જાય છે.

જો તમે બ્લડ પ્રેશર સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે તો તેઓએ તેનું યોગ્ય નિરાકરણ કરવું જોઈએ. કારણ કે બ્લડ પ્રેશર ની સમસ્યાઓને લીધે જ હૃદય રોગનું નિર્માણ થાય છે. જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ દૂધ સાથે ત્રિફળાનું ચૂર્ણ રાતે લેવું જોઈએ. જેનાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાથી રાહત મળશે.

જો તમે ડાયાબીટીસ ની સમસ્યા એટલે કે બ્લડ સુગર લેવલ માં વધારો થઈ ગયો છે તો તેને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે ડાયાબિટીસ ની સમસ્યાને લીધે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. આવામાં તમારા પાણી સાથે ત્રિફળાનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી બ્લડ સુગર લેવલ કાબૂમાં આવી જશે અને તમને ડાયાબિટીસ ના રોગથી છુટકારો મળશે.

જો તમારા ચહેરા પર ખીલ, ડાઘ અથવા તો બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ થઇ ગઇ છે તો પણ તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો. તમે તેનું સેવન કરી શકો છો અથવા તો તેનો લેપ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી શકો છો. જે તમને સ્પષ્ટ ત્વચા આપવામાં મદદ કરશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *