ઘરેલું ઉપચાર

જો આટલી બધી મસમોટી બીમારીઓ દૂર કરવી હોય તો સડેલા કેળાં ફેંકવાની જગ્યાએ કરો આ રીતે ઉપાય.

સામાન્ય રીતે આપણા બધાના ઘરોમાં ફળો ખાવામાં આવતા હોય છે. જેમાં કેળા, પપૈયા, સફરજન જેવા ઘણા ફળો છે, જેને ઘણા સમય સુધી રાખી મૂકવામાં આવે તો તો તે ખરાબ થઈ જતા હોય છે અથવા તો પાકી જતા હોય છે. જોકે દરેક ફળ પોતપોતાની રીતે પાકતા હોય છે અને તેની પાકવાની રીત અલગ હોય છે. જો આપણે કેળા વિશે વાત કરીએ તો જ્યારે કેળા પાકી જાય છે ત્યારે તેનો ઉપરનો ભાગ કાળો થઇ જાય છે.

આ સિવાય બીજા પણ પાકી જવાને લીધે પોતાના ગુણધર્મો બદલી નાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફળો જ્યારે પાકી જાય છે ત્યારે તેની ગુણવત્તા વધી જાય છે. આ સાથે તેનાથી ઘણા લાભ પણ થાય છે. જોકે તેમાંથી ખરાબ વાસ આવવાને લીધે લોકો તેને ફેંકી દેતા હોય છે. જોકે તમારે આવી ભૂલ ના કરવી જોઈએ. હકીકતમાં તેમાં એવા ગુણો પ્રાપ્ત થાય છે, જેનાથી તમે ઘણા રોગો દૂર કરી શકો છો.

કારણ કે તમારે આવા ફળો ફેંકવા જોઈએ નહીં કારણ કે તેની અંદર રહેલા એન્ટી તત્વો તમારી ત્વચા માટે કારગર સાબિત થઈ શકે છે. હકીકતમાં તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વો મળી આવે છે. જે તમારી ત્વચાને કોમળ અને મુલાયમ બનાવવા માટે કામ કરે છે. આ સાથે તેની અંદર રહેલા તત્વો ચેહરા પરના ખીલના ડાઘ પર દૂર કરી દેવાની ક્ષમતા ધરાવે છે.

જોકે આજે અમે તમને કેળાને ઉદાહરણ સ્વરૂપે લઈને તેની ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે આજ રીતે બીજા ફળોનો પણ ઉપયોગ કરી શકો છો. જો આપણે કેળાની વાત કરીએ તો સૌથી પહેલા જે કેળું પાકી ગયું હોય તેને છોલીને અંદરનો ભાગ બહાર કાઢી લો. હવે તેને એક બાઉલમાં મૂકીને ગ્રાઇન્ડ કરી લો. જેના લીધે એક પેસ્ટ જેવું થઈ જશે.

આ લેપ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવી શકો છો. તેનાથી ત્વચાને ઠંડક મળે છે અને ડાઘ પણ દૂર થઈ જાય છે. તેને લગાવવા માટે સૌથી પહેલા હાથમાં આ પેસ્ટ લઈને તેને ધીમે ધીમે ત્વચા પર કોમળ હાથે લગાવો. આ લેપને તમે ચેહરાને જે વિસ્તારને મુલાયમ અને કોમળ બનાવવાનો હોય ત્યાં ઉપયોગ કરી શકો છો.

આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે તેના કોઈ કેમિકલ યુક્ત વસ્તુ મિક્સ કરવાની રહેશે નહીં પંરતુ યાદ રાખો કે તમે તેમાં દહીં અથવા લીંબુ મિક્સ કરી શકો છો. તેનાથી તમને વધારે ફરક દેખાવા મળશે. તમને કહી દઈએ કે આ પેસ્ટ ને તમે શરીરના જે પણ અંગને ચમકદાર અને મુલાયમ બનાવવા માંગતા હોય ત્યાં લગાવી શકો છો.

તમને કહી દઈએ કે આ પેસ્ટને ચેહરા પર 20 મિનિટ માટે રહેવા દો અને પછી તેને શુદ્ધ પાણીથી સાફ કરી લો. આ સિવાય તમે આ ઉપાય અઠવાડિયામાં બે વખત અપનાવી શકો છો. જેનું તમને ચોક્કસ પરિણામ મળશે અને થોડાક સમયમાં ત્વચા બેદાગ બની જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *