70 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના યુવાન બની રહેવા માટે આજથી જ અપનાવો આ ટિપ્સ.

આજના આધુનિક સમયમાં બહારના ભોજન અને ખોટી જીવનશૈલીને લીધે વ્યક્તિ સમય પહેલા વૃદ્ધ થઇ રહ્યો છે. હા, આજે લોકો 40 વર્ષની ઉંમરે તો મોઢા પર કરચલીઓ પડવી, થાક લાગવો, ચહેરો નિસ્તેજ બની જવો વગેરે જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે તેઓને લોકો સામે શરમ તો આવે છે સાથે સાથે તેઓ જલ્દી ઘડપણ તરફ પણ ચાલ્યા જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં જો તમે પણ 70 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના જુવાન દેખાવવા માંગતા હોય તો આજના આ લેખમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને તમારે ભોજનમાં ઉમેરવી જોઈએ. જોકે યાદ રહે છે કે આ બધી જ વસ્તુઓ તમારે પલાળીને ખાવી પડશે.

ખસખસ :- ખસખસનો ઉપયોગ પ્રાચીન સમયમાંથી દવા તરીકે કરવામાં આવે છે. હકીકતમાં તેમાં એવા ગુણો મળી આવે છે, જે તમારી મોટાભાગની બીમારીઓ દૂર કરીને તમને નવજીવન આપવા માટે કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખસખસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 જેવા પોષક તત્વો મળી આવે છે. જે તમારા શરીરમાં હાડકા મજબૂત કરીને તમને પોષણ આપવાનું કામ કરે છે. તમે ખસખસનો ઉપયોગ પાણી સાથે અથવા દૂધ સાથે સવારે કરી શકો છો.

ચણા :- ચણા એક એવી વસ્તુ છે જે બ્લડ સુગર લેવલ ને કાબૂમાં કરીને તમને ડાયાબિટીસ થી રાહત આપવા માટે કામ કરે છે. જો તમારું વજન જરૂરિયાત કરતા ઓછું થઈ ગયું છે તો તમે ચણાનો ઉપયોગ કરીને તેને મજબૂત બનાવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી આંખો પર ચશ્મા આવી ગયા છે અને લોહીની કમી થઇ રહી છે તો તમારે ભોજનમાં ચણા શામેલ કરવા જ જોઈએ. જોકે યાદ રાખો કે તેને હંમેશા પલાળીને ખાઈ શકો છો.

મેથીના દાણા :- તમે સવારે રાતે પલાળેલી મેથીનો સવારે ઉપયોગ કરી શકો છો. તેનો કડવો સ્વાદ પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ને દૂર કરે છે. જો તમે ડાયાબીટીસ ના શિકાર બની ગયા છો તો પણ તમે ભોજનમાં મેથીને શામેલ કરી શકો છો. તેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, કમરનો દુઃખાવો વગેરેમાં રાહત મળે છે.

બદામ :- બદામ માં પૂરતા પ્રમાણમાં આયરન અને કેલ્શિયમ હોય છે. જેમાંથી આંખોનું તેજ, લોહીની કમી, મગજની યાદ શક્તિ, ચહેરાની ચમક વગેરેમાં મદદ કરે છે.

આ માટે તમારે રાતે 5થી6 બદામ પલાળવાની રહેશે અને સવારે ઊઠીને તેને છાલ સાથે અથવા છાલ કાઢીને ખાવી જોઈએ. તેનાથી તમારી ઘણી સમસ્યાનો અંત આવી જશે.

સીંગદાણા :- સીંગદાણા પણ તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ ઉપર જણાવ્યા પ્રમાણે બદામ ની જેમ કરી શકો છો અને તેના ફાયદા પણ બદામની જેવા જ છે. તેથી તેનું વિગતવાર વર્ણન કરવાની જરૂર નથી. તમે તેનો ઉપયોગ કરીને લાભ ઉઠાવી શકો છો.

જોકે યાદ રાખો કે તમારે એક અઠવાડિયા માં એક જ વસ્તુ લેવાની રહેશે. જો તમે આ અઠવાડિયામાં એક વખત બદામનું સેવન કરો છો તો આગળના અઠવાડિયામાં ખસખસ અને તેના આગળના અઠવાડિયામાં સીંગદાણા લઈ શકો છો. જોકે યાદ રાખો કે સપ્તાહમાં કોઈ એક વસ્તુનું એક જ વખત ઉપયોગ કરવાનો રહેશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment