ઘરેલું ઉપચાર

જૂનામાં જૂની ધાધર અને ખરજવું જેવી સમસ્યાથી રાહત મેળવવાનો રામબાણ ઉપાય, 100% ટકા મળી જશે પરિણામ…

ધાધર અથવા ખરજવું એવા રોગો છે, જે બહુ જલદી વ્યક્તિનો પીછો છોડતા નથી અને આસાનીથી તેનાથી રાહત મળી શકતી નથી. તે એવા અંગોમાં થાય છે, જ્યાં કાળજી લેવામાં થોડીક બેદરકારી રાખવામાં આવે છે એટલે કે ગુપ્ત ભાગોમાં વધારે થાય છે.

આ સાથે ભોજનમાં ખરાબ ખોરાક ખાવાથી પણ તમને ધાધરની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ સમસ્યાથી રાહત મેળવવાના રામબાણ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નીલગીરી તેલ :- નીલગીરી તેલમાં એવા ઘટકો જોવા મળે છે, જે શરીર પર થયેલા રોગોને દૂર કરી શકો છો. આ સાથે તેને ફૂગનાશક પદાર્થ તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા નીલગીરી તેલમાં રૂ બોળી લેવું જોઈએ. તેના પછી તે રૂ વડે અસરગ્રસ્ત વિસ્તાર પર તેલ લગાવવું જોઈએ. તેનાથી તમને ફરક જોવા મળશે.

ગલગોટા નું ફૂલ :- તમે ધાધર ને દૂર કરવા માટે ગલગોટા નો પણ ઉપયોગ કરી શકો છો. હા, તેમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે ચામડીના રોગો દૂર કરવામાં મદદ કરી શકે છે.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગલગોટાને ગ્રાઇન્ડ કરી લો અને તેને પાણીમાં મિક્સ કરો. હવે તેને જ્યાં ધાધર થઇ હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે. જોકે લગાવ્યા પછી બે કલાક બાદ તેને શદ્ધ પાણીથી સાફ કરી લેવું જોઈએ.

શીળસ મટાડવાનો ઉપાય :- તમને જાણીને આશ્ચર્ય થશે કે શીળસ પણ ધાધર જેવો જટિલ રોગ છે. જેનાથી બહુ જલદી છૂટકારો મેળવી શકાતો નથી. આવામાં તેનાથી રાહત મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને રાહત થશે.

તમને જણાવી દઈએ કે શીળસથી પીડિત લોકોએ કડવા લીમડાને પાણીમાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી તમને રાહત મળી જશે. આ સાથે કરંજ તેલનું માલિશ કરવાથી પણ શીળસ દૂર કરી શકાય છે કારણ કે તેનાથી લોહી શુદ્ધ થાય છે.

આ સાથે તમે તબીબી સલાહ પણ લઈને તેનાથી છુટકારો મેળવવા માટે કામ કરી શકો છો. આ જોડે કાળાં મરીનો પાવડર અને શુદ્ધ ઘી સાથે મિક્સ કરીને સવાર સાંજ લેવામાં આવે તો પણ લાભ થઈ શકે છે.

આદુના રસ જોડે જૂનો ગોળ લેવામાં આવે તો શીળસ ની સમસ્યા મટે છે. પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવીને એક એક પેકેટ દિવસમાં ત્રણ વખત લેવામાં આવે તો રાહત મેળવી શકાય છે. આ ઉપાય કરવાથી ઉપાય શીળસને દૂર કરવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે.

ફક્ત ખાદ્યપદાર્થો થી જ નહીં પણ ઘણી વખત આર્યુવેદ ની કોઈ ઔષધીથી પણ ઘણા રોગો થતા હોય છે. જેમાં ભિલામો એક એવી ઔષધી છે, જેનાથી આડઅસર થઇ શકે છે અમે શીળસ ની સમસ્યામાં વધારો થાય છે.

આ સાથે એન્ટિબાયોટિક્સ ક્વિનાઈના ઉપયોગ થી પણ આડઅસર થઇ શકે છે. આવામાં તમારે તેનો ઉપયોગ નિષ્ણાત લોકોની સલાહ પછી જ કરવો જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *