આયુર્વેદ

ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યાને કરો કાયમ માટે દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. ખુબજ તડકો અને ગરમીની પ્રમાણ વધારે જોવા મળે છે. જેના કારણે લોહીના સર્ક્યુલેશન માં વધારો થાય છે. જેના કારણે નસકોરી ફૂટવાની સંભાવના જોવા મળે. ખાસ કરીને નાના બાળકો તથા મોટી ઉંમરના વ્યક્તિ ઓમાં આ સમસ્યા જોવા મળે છે.

આ સમસ્યા દૂર કરવા માટે આપણે ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ જેના કારણે નસકોરી ફૂટવાની સંભાવના ઓછી થઈ જાય છે.

નસકોરી મટાડવા માટેના ઘરેલું ઉપચારો:-

દહીં માં મારી અને દેશી ગોળ પીવાથી નાકમાંથી લોહી પડતું બંધ થઇ જાય છે. ગાયના ઘી ના ટીપાં નાકમાં પાડવાથી નસકોરી બંધ થઈ જાય છે. માથામાં ઠંડા પાણીની ધાર કરવાથી નસકોરી મટે છે. અંબાણી ગોટલીનું નાસ લેવાથી નસકોરી બંધ થઇ જાય છે.

ખાતાં મીઠા દાડમના દાણા માં સાકર ભેરવીને પીવાથી ગરમીમાં ફૂટતી નસકોરી બંધ થઈ જાય છે. આમળાના ચૂર્ણને દૂધમાં મેળવીને માથા ઉપર લેપ કરવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થઈ જાય છે. નસકોરી ફૂટે ત્યારે ગોટલી નો રસ નાકમાં નાખવાથી આરામ મળે છે.

લીલી ધરો અને દાડમના ફૂલને છૂંદીને તેનો રસ ગાળીને નાકમાં નાખવાથી આરામ મળે છે. દરરોજ અડથી ચમચી કોપરું ખુબજ ચાવીને નિયમિત ખાવાથી લાંબા ગળાની નસકોરી બંધ થઈ જાય છે. ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવીને પીવાથી નાકમાંથી આવતું લોહી બંધ થઇ જાય છે.

વડની છાલ, પાન કે કૂંપળો નો ઉકારો પીવાથી નસકોરી ફૂટતી બંધ થઈ જાય છે. દહીં માં દૂધ મિક્સ કરીને ખાવાથી નસકોરી બંધ થઈ જાય છે. રોજ સવારે એક કપ દૂધમાં ઘી નાખીને પીવાથી કાયમની નસકોરી બંધ થઈ જાય છે. દાડમ અથવા તો તેનો રસ સાકર મિક્સ કરીને પીવાથી લોહી બંધ થઈ જાય છે.

અડધા કપમાં ફુલાવેલી ફટકરી નાખીને નાકમાં ચાર પાંચ ટીપા નાખવાથી નસકોરી બંધ થઈ જાય છે. માથામાં વધારે પડતી ગરમી થવાને કારણે ઠંડુ પાણી નાંખવાથી નસકોરી બંધ થાય છે અને લોહી પણ મટે છે. અરડૂસીનાં પણ નાકમાં મુકવાથી લોહી વહેતુ અટકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *