આયુર્વેદ

જીરું દૂર કરશે તમારા આટલા બધા રોગો. આજે જાણીલો તેના ગજબના ફાયદાઓ.

મિત્રો આપણે રોજેરોજ મસાલાનો ઉપયોગ કરતા હોય છે. જે દરેક શરીર માટે કોઈને કોઈ રીતે ઉપયોગ હોય છે. જો મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો જ તેના સ્વાદમાં વધારો થાય છે અને કેટલાક ભોજનને તો મસાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. મસાલામાં સુંદર ફ્લેવર એવું જીરું સ્વાસ્થ માટે ખુબજ ઉપયોગી છે.

જીરું એવો મસાલાનો એક ભાગ છે જેમાં શરીરને માટે બધાજ અંગો માટે ગુણકારી સાબિત થાય છે. જીરું એ ઠંડુ અને તાસીર છે જે શરીર માટે ખુબજ ફાયદાકારક છે. લોકો દરેક સીઝનમાં તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. ખાસ કરી ને મસાલા બનાવવામાં તેનો મહત્વનો ઉપયોગ કરવામાં આવે છે.

જીરું ખાવાના ફાયદા:-

લોહીના પરિભ્રમણ માટે અને વજન ઘટાડવા માટે જીરું ખુબજ ફાયદાકારક છે. કાળું મીઠું, જીરું અને વાટેલી હિંગ નાખીને તેનું ચૂર્ણ બનાવી દહીં સાથે લેવાથી વજનમાં ઘટાડો થાય છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે. જે લોકો વધુ પડતા વજનથી પરેશાન છે તેવા લોકોએ રાતે જીરું પાણીમાં પલાળી સવારે ગરમ કરીને તે પાણી નું સેવન કરવાથી વજન માં ઘટાડો જોવા મળે છે.

તે શરીરમાં રહેલી ગંદકીને દૂર કરવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. તે શરીરના કોઇપણ ભાગમાં જોવા મળતી ગંદકી જેવી કે પરસેવો અને ખીલ જેવી સમસ્યાથી છુટકારો મળે છે. આમ ત્વચા સાફ અને સુંદર બને છે. તેમાં વધુ પ્રમાણમાં વિટામિન ઈ રહેલું હોય છે જે ત્વચાને નિખાર લાવવામાં મદદ કરે છે. તે ઉપરાંત તેમાં એન્ટીફંગલ નો પણ ગુણ રહેલો હોય છે. જેનાથી ચામડીના કોઇપણ પ્રકારના ઇન્ફેક્શન થી બચી શકાય છે.

જીરાનો પાઉડર બનાવી તેને ફેકપેકમાં મિક્સ કરીને લગાવાથી પણ તમારી ત્વચા સુંદર અને તેજવાળી બને છે. વધતી ઉંમરની સાથે કરચલીઓ દૂર કરવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. જો ઉનાળા દરમિયાન વધુ પડતી શરીરમાં ગરમી થઇ હોય તો જીરાનું પાણી પીવાથી ઠંડક થાય છે.

જીરાના પાઉડર ને હળદર અને મધ સાથે મિક્સ કરી ને લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. ચહેરામાં ચમક આવે છે. જે લોકો ખોડા ની સમસ્યાથી ખુબજ પરેશાન છે તેવા લોકોએ તેલમાં જીરાને ઉકારી તેની માલિશ કરવાથી ખોડો દૂર થાય છે. લોહીમાં રહેલા સુગરના લેવલમાં ઘટાડો કરે છે તેના કારણે જીરું એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે.

જીરુમાં આયનનું પ્રમાણ વધારે હોવાને કારણે એનિમિયાથી બચાવે છે અને લોહી ની ઉણપ સર્જાતી નથી. હિમોગ્લોબીન નું પ્રમાણમાં વધારો કરીને ઓક્સિજનની માત્રા વધારે છે. જે લોકોને દમની સમસ્યા છે તેવા લોકો માટે જીરું એક દવા કરતા પણ રામબાણ જેવું કામ કરે છે. જીરાને પીસી તેમાં મધ ઉમેરી પાણી સાથે પીવાથી પેટના દર્દો દૂર થાય છે.

રાતે જીરુને પીસીને સવારે ખાંડ ભેરવીને લેવાથી હદયની બીમારી દૂર થાય છે. તેમાં એન્ટીબેકટેરિયલ નો ગુણ રહેલો હોય છે જે શરદી, ખાંસી જેવી બીમારીથી દૂર રાખે છે તથા તેમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોવાથી બધાજ રોગોમાં ફાયદો કરે છે. સગર્ભા મહિલાઓ માટે ગેસ ની તકલીફમાં જીરા નો ઉપયોગ કરવાથી રાહત થાય છે તથા ઉલટી જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *