આયુર્વેદ

ફુલાવાર જેવી દેખાતી બ્રોકલીના છે જબરદસ્ત ફાયદાઓ.

મિત્રો આ લેખ માં તમને બ્રોકલી ના ફાયદા વિશે જણાવીશું તે શરીર માટે કેટલુ ફાયદાકારક છે અને મુખ્યત્વે ક્યાં ભોજન માં વપરાય છે તેના વિશે મિત્રો આજે વાત કરવાની છે. ફ્લાવર જેવો દેખાવ પરંતુ તેના કરતા પણ સુંદર દેખાવે બ્રોકલી ખૂબ જાણીતી છે. તેનો ખાસ કરીને ઇટાલિયન ભોજન માં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે હોટેલમાં જઈએ ત્યારે ઇટાલિયન ભોજન માં બ્રોકલી નો ઉપયોગ થયેલો જોવા મળે છે.

લોકો તેને ખાવાની ઓછી પસંદ કરતાં હોય છે પરંતુ તેના અનેક ફાયદા છે. તેને કાચી ખાવા કરતા બાફી કે વઘારીને ખાવી જોઈએ. તે બધાજ વિટામિન થી ભરપૂર હોય છે એટલેકે તેમાં કેલ્શિયમ, વિટામિન સી,આયન,મેગ્નેશિયમ,પ્રોટીન વગેરે આવેલા હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ નો ગુણ હોવાથી શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને દરેક રોગો માં લડવા સામે પ્રતિકાર કરે છે.

ચાલો હવે બ્રોકલી ના ફાયદા વિશે જાણીશું.

આજકાલ લોકો ડાયાબિટીસ અને કેલ્શિયમની બીમારીથી ખૂબ પરેશાન હોય છે તેઓ ડોક્ટર ની સલાહ મુજબ જીવતા હોય છે પરંતુ તેનો ઘરેલુ ઉપચાર જેવો કે બ્રોકલી ને બાફીને ખાવાથી આ રોગોમાં ખૂબ જ આરામ મળે છે. તેમાં ખાસ કરીને બીટા કેરોટીન નામનું તત્વ હોવાથી આંખો માટે ખૂબ ફાયદો કરે છે જે બાળકો, જુવાન અને વૃદ્ધ લોકો માટે લાભદાયક છે.

આંખ સંબંધી કોઈપણ તકલીફ માંથી દૂર રાખે છે જેમાં મોતીઓ,મસ્ક્યુલર વગેરે રોગો આવતા નથી અને આંખોનું તેજ વધે છે. જો પહેલાથી જ બ્રોકલીનું સેવન કરવામાં આવે તો નાના બાળકો ને ચશ્માં આવતા નથી. જે લોકો દરરોજ ઓફીસ માં જતા હોય અને બહાર ફરવાનું વધુ હોય તેવા લોકોને બ્રોકલી નું સેવન ખૂબ ફાયદાકારક છે. જે સૂર્યપ્રકાશ ના કિરણોથી સ્કિન માં થતા પ્રોબ્લેમ ને બચાવે છે.

બ્રોકલી નો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ રહે છે અને બધીજ સમસ્યા દૂર થાય છે. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક હોવાતથી ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક છે અને તેનાથી હાડકા મજબૂત બને છે. તે આંતરડા માં રહેલા સારા બેક્ટેરિયા નું પ્રમાણ વધારે છે તેના કારણે તેના સ્વાસ્થ્ય માં વધારો થાય છે.

રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે શાકભાજી નો મોટો ફાળો રહેલો છે. શરીરમાં કરોડોની સંખ્યામાં જીવાણુ અને વાઇરસ આવેલા છે જે ઘટ્ટ બેકટેરિયા માં વધારો કરે છે તે આંતરડા ને મજબુત બનાવે છે તથા સારી પાચનશક્તિ જોવા મળે છે. હદયને તંદુરસ્ત રાખવા માટે લીલા શાકભાજી બધાજ પોષકતત્વો પુરા પાડે છે.

તેમાં રહેલું વિટામિન કે હદયને ધબકતું રાખવામાં અને લોહીના પરિભ્રમણ માટે ખયબ ફાયદાકારક છે.જો વિટામિન કે ની ઉણપ થાય ત્યારે ડાબું ક્ષેપક મોટું થાય છે જેના કારણે હ્દય રોગનો હુમલો આવે છે. દરેક વ્યક્તિ એ બાફેલી બ્રોકલી ખાવું ખુબજ જરૂરી છે જે શરી સારો એવો ફાયદો કરે છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *