આયુર્વેદ ઘરેલું ઉપચાર

5 મિનિટ માટે દૂધમાં પલળીને ખાઈ લો આ વસ્તુ, ગેસ, કબજિયાત, અપચો, એસિડિટિથી મળશે આરામ.

5 મિનિટ માટે દૂધમાં પલળીને ખાઈ લો આ વસ્તુ, ગેસ, કબજિયાત, અપચો, એસિડિટિથી મળશે આરામ.

દોસ્તો સામાન્ય રીતે આપણા ભારતીય ઘરોમાં જરૂરિયાત કરતા એકાદ બે વધારે રોટલી બનાવવામાં આવે છે, જેને લોકો સવાર પડતાંની સાથે જ વાસી સમજીને ફેંકી દેતા હોય છે. જોકે તમારે જાણવું જોઈએ કે વાસી રોટલી પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે.

જો તમે દૂધ અને વાસી રોટલીનું ગોળ સાથે સેવન કરો છો તો તમારા શરીરમાં ઘણા ફેરફાર થાય છે, જે લોહીની કમીને પણ દૂર કરે છે. હવે તમે કહેશો કે વાસી રોટલી ખાવી એ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, કારણ કે વાસી ભોજન ફૂડ પોઈઝનનું કારણ છે.

જો કે તમને જણાવી દઈએ કે રોટલી ની બાબતમાં આવું નથી, વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં તેમાં એવા ગુણધર્મો મળી આવે છે, જે તમને વિવિધ બીમારીઓથી દૂર રાખવા માટે કામ કરે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વાસી રોટલી અને દૂધ બંનેને મિક્સ કરીને ખાવાથી કયા ફાયદા થાય છે તેનાથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ.

જો તમે લોહીની ઉણપની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમને થાક, નબળાઇ, આળસ વગેરેનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે તમને ત્વચા રોગો પણ થઈ શકે છે. આવામાં જો તમે દૂધને વાસી રોટલી અને ગોળ સાથે ખાવ છો તો તમારા શરીરમાં આયર્નની માત્રા વધી જાય છે અને હિમોગ્લોબિન લેવલમાં પણ વધારો કરે છે, જે લોહીની કમી દૂર કરે છે.

જે લોકો વારંવાર હાઇબ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેવા લોકો પણ ઠંડા દૂધ સાથે રોટલી નું સેવન કરી શકે છે. તેનાથી બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે.

જો તમને પેટના રોગો જેમ કે ગેસ, કબજિયાત, એસિડિટી વગેરે તો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે દૂધ સાથે રોટલી નું સેવન કરી શકો છો. તેનાથી પેટમાં દુખાવાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.

આ સાથે જે લોકોનું બ્લડ સુગર વારંવાર વધી જાય છે તેવા લોકો પણ વાસી રોટલી નું સેવન કરી શકે છે. હકીકતમાં વાસી રોટલી નું સેવન કરવાથી બ્લડ શુગર કાબૂમાં આવી જાય છે અને ઇન્સ્યુલીન લેવલ વધે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે વાસી રોટલી ને દૂધમાં દસેક મિનિટ પલાળી રાખવી જોઈએ, ત્યાર પછી તેનું સેવન કરવું પડશે.

જો આપણે વાસી રોટલી અને તાજી રોટલી વચ્ચે સરખામણી કરીએ તો બંને રોટલીઓ પોતપોતાની રીતે પૌષ્ટિક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લાંબા સમય સુધી ગોળ પડી રહ્યો હોય તો તેમાં પેદા થતા બેક્ટેરિયા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણા લાભ આપી શકે છે. જોકે યાદ રાખો કે તમારે એકાદ બે દિવસની જૂની વાસી રોટલી ખાવી જોઈએ નહીં.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *