આયુર્વેદ

સ્નાન કરતી વખતે કયા અંગને સૌથી પહેલા પાણી રેડીને સાફ કરવો જોઈએ? જાણો સ્નાન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો.

સામાન્ય રીતે દરેક વ્યક્તિના દૈનિક કાર્યોમાં સ્નાન શામેલ છે. વર્ષોથી આ નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્નાન કરવાથી વ્યક્તિ એકદમ શુદ્ધ બની જાય છે અને તેને કોઈ બીમારીનો પણ સામનો કરવો પડતો નથી. આ સાથે સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક રીતે પણ શાંતિ મળે છે. આ સાથે કીટાણુઓ અને ખરાબ બેકટેરિયાનો પણ નાશ થાય છે.

હવે ચાલો આપણે જાણીએ કે સ્નાન કરતા પહેલા કયા અંગ પર પાણી રેડવું જોઈએ. સામાન્ય રીતે તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત આપણને પાણીનો અંદાજ હોતો નથી કે તે ગરમ છે કે ઠંડુ?

આના લીધે જ્યારે આપણે તેને માથા પર રેડીએ છીએ ત્યારે મગજની ચેતાઓનો નાશ થાય છે. આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલા પગ પર પાણી રેડવું જોઈએ. જેનાથી તમને પાણીનો અંદાજ આવી જશે અને તમને નુકસાન પણ થશે નહીં.

તમારે સ્નાન કરતા પહેલા હંમેશા માથાને નમાવીને ડોક પર પાણી રેડવું જોઈએ. આવું કરવાથી મગજના કોષો સક્રિય બને છે અને તણાવ, ચિંતા અને હતાશા દૂર થઈ શકે છે.

આ સાથે તમને કોઈ સમસ્યા નડતી નથી. જ્યારે તમે ડોક પર પાણી રેડીને માથું ધુવો છો તો તમારે નર્વસ સિસ્ટમ સક્રિય બને છે અને મગજ સાથે શરીરને બધા જ અંગો જોડાઈ જાય છે.

તમને કહી દઈએ કે તમારે નાહવાના પાણીમાં લીમડાના પાન ઉમેરી લેવા જોઈએ, જેના લીધે તમારા શરીર પર જામી ગયેલ અશુદ્ધિ અને બેક્ટેરિયા નો નાશ થાય છે. આ સાથે તમારે સ્નાન કરતા પહેલા સરસવ તેલથી માલિશ કરવી ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

તેનાથી તમારા શરીર પરનો થાક અને આળસ દૂર થઈ જાય છે. જો તમે દિવસ દરમિયાન સવારે અને સાંજે બે વખત સ્નાન કરો છો તો તે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. જો તમે સાંજે સ્નાન કરશો તો તમને રાતે શાંતિથી ઊંઘ પણ આવશે અને ગરમી પણ લાગશે નહીં.

આપણા આર્યુવેદ ની સાથે સાથે તબીબી લોકો પણ કહે છે ક્યારેય ભોજન કર્યા બાદ સ્નાન કરવું જોઈએ નહીં. કારણ કે તેનાથી ખોરાકનું પાચન થઇ શકતું નથી અને આખો દિવસ પેટમાં દુઃખાવો ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

હકીકતમાં જ્યારે તમે ભોજન કરી લો છો ત્યારે તમારા શરીરમાં એક ખાસ પ્રકારની અગ્નિ ઉત્પન્ન થાય છે અને જો આવામાં તમે સ્નાન કરી લો છો તો આ અગ્નિ શાંત થઈ જાય છે અને ખોરાક નું પાચન થઇ શકતુ નથી. આ. સિવાય જો તમને કોઈ બીમારી થઇ હોય અને ડોકટરે સ્નાન કરવાની ના પાડી હોય તો પણ સ્નાન કરવું જોઈએ નહીં.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *