આજના સમયમાં વધુ પડતા તણાવ અને ખોટા આહારને લીધે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે તમારા શરીરમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે ત્યારે તેની સીધી અસર તમારા હૃદય પર થાય છે. આ સમસ્યાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેનાથી વ્યક્તિને ઘણી વખત જીવને પણ ખતરો થઇ શકે છે.
જ્યારે આપણને પેટની ઉપરની ભાગે છાતીની બાજુમાં દુઃખાવો થાય છે ત્યારે આપણે સીધા ડોકટર પાસે જતા હોઈએ છીએ અને તેઓ આપણને રિપોર્ટ કરાવવા જણાવે છે. જેમાં લોહી જાડુ થવાની સમસ્યા સામે આવે છે. આવી સ્થિતિમાં આપણે ગોળીઓ લેવાનુ ચાલુ કરીએ છીએ જોકે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તમે રાહત મેળવી શકો છો.
આ ઘરેલુ ઉપાય અપનાવીને તમે આસાનીથી લોહી પાતળું કરી શકો છો અને તેની કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. આ સાથે જ્યારે તમે આ ઔષધિઓ લો છો તો લોહી પાતળું થવાની સાથે સાથે હૃદય અને પેટની બીમારીઓ પણ દૂર થઈ જાય છે.
આ ઉપાય કરવા માટે તમારે ચાર વસ્તુની જરૂર પડશે, જેમાં શિમલા મરચા, દુધી, કોબીજ, ગાજર શામેલ છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે ચારેયનો જ્યુસ કાઢી લેવો પડશે અને સવારે અને સાંજે તેનું સેવન કરવું જોઈએ. જો તમે એક મહિના સુધી આ વસ્તુનું દરરોજ પાલન કરો છો તો તમે આસાનાથી લોહી પાતળું કરી શકશો.
બીજા ઉપાય માટે તમે તજ અને અર્જુનની છાલનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં આ બંનેમાં એવા ગુણધર્મો મળી આવે છે, જે લોહી પાતળું કરવા માટે કામ કરે છે. આનાથી તમને નસ અથવા ધમનીઓ સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થઇ શકતી નથી.
આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા અર્જુનની છાલ લઈને તેને તડકામાં સૂકવી લો. પછી જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો અને તેને અલગ એક પાત્રમાં કાઢો. જેના પછી તમારે તમને ખલમાં વાટીને એકદમ પાવડર ની જેમ ઝીણો કરી લો અને તેને એક ડબ્બામાં ભરી દો.
ત્યારબાદ બે કપ જેટલું પાણી લઈને તેમાં અર્જૂન ની છાલનો પાવડર ઉમેરી લો અને તેને ગરમ કરવા માટે મૂકો. હવે તેના પર એક ડીશ મૂકીને ધીમે ધીમે ગરમ થવા દો. જેના પછી જ્યારે તે યોગ્ય પ્રમાણમાં ગરમ થઇ જાય ત્યારે તેમાં તજ નો પાવડર પણ ઉમેરી લો. હવે તેને બરાબર ગરમ થવા દો. જ્યારે એક કપ જેટલું પાણી ઉકળીને બળી જાય ત્યાં સુધી ઉકળવા દો અને પછી ગેસ બંધ કરો.
ત્યારબાદ જ્યારે આ ઉકાળો ઠંડો થાય ત્યારે તેને ફિલ્ટર કરીને ડ્રીંક અલગ કરો. જેથી કરીને પાવડર સ્વરૂપ દૂર કરી શકાય. જો તમને આ ડ્રીંક નો સ્વાદ તમને પસંદ નથી તો તમે તેમાં કોથમીર અને આદુનો રસ અલગથી ઉમેરી શકો છો. જેથી સ્વાદમાં વધારો કરી શકાય છે. તે લોહી જાડું થવાની સમસ્યા દૂર કરી શકે છે.
આ ઉપાય કરવાથી તમારા શરીરમાં ક્યાંય પણ નસ બ્લોકેઝ થશે નહીં અને શરીરના બધા જ અંગો સુધી લોહી પહોંચશે. આ સાથે તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક વગેરેમાં પણ રાહત થશે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.