ઘરમાં કોઈપણ વ્યક્તિને પેટમાં દુખાવો થતો હોય તો કરી લો ત્રણ જ મિનિટમાં આ કામ, મળી જશે તરત જ રાહત…

આજના સમયમાં આખો દિવસ બેસી રહેવાને લીધે અને બહારના ભોજન ખાવાને લીધે વ્યક્તિને પેટ સાથે જોડાયેલ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેના લીધે તેને પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે પેટમાં દુખાવો, બળતરા, અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જોકે આમ તો પેટની સમસ્યા સામાન્ય ગણવામાં આવે છે પંરતુ અમુક વખતે આ પેટની સમસ્યા થાય ત્યારે ડોકટરને પાસે જવું પડે છે. કારણ કે આ દુઃખાવો ઘણી વખત અસહ્ય બની જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે રાહત મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને પેટમાં દુખાવો થતો હોય તો તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. કારણકે અજમોમાં એવા ગુણો જોવા મળે છે, જે આસાનીથી પેટની સમસ્યા રાહત આપે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ચપટી અજમાને હાથમાં લઈને તેના સંચળ મીઠું મિક્સ કરી લેવું જોઈએ.

ત્યારબાદ જે રીતે તમાકુ ચોળતા હોય તેવી રીતે આ વસ્તુને હાથમાં મસળી લેવી જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરીને હૂંફાળા પાણીનું સેવન કરવાને લીધે તમને પેટના દુખાવાથી રાહત મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી પાસે સંચળ મીઠું ના હોય તો તમે ફક્ત અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે તેમાં જોવા મળતા ગુણો આસાનીથી રાહત આપી શકે છે. ઉપર જણાવ્યા અનુસાર તમારે અજમાને ફક્ત હૂંફાળા પાણી સાથે લેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે પેટમાં થતો દુખાવા પાછળના કારણ એકદમ સામાન્ય છે. તેનાથી તમને પેટમાં ગડબડ, અવાજ આવવો, દુઃખાવો અથવા બળતરા થવી, પેટનું ફૂલી જવું જેવા લક્ષણો દેખાય તો પણ ઉપર જણાવેલ ઉપાય કરીને રાહત મેળવી શકો છો.

જોકે ધ્યાનમાં રાખો કે ફક્ત તેના ઉપાય કરીને રાહત ના મળે તો તમારે તરત જ ડોકટર પાસે જવું જોઈએ. કારણ કે ઘણી વખત તેનાથી જીવલેણ સાબિત થઈ શકે છે.

જો તમને કબજિયાત ની સમસ્યા રહેતી હોય તો પણ પેટમાં દુખાવો થઈ શકે છે. આ સાથે પેટના ગેસ થયો હોય તો પણ પેટ ફૂલી શકે છે. વધારે પ્રમાણમાં ખાઈ લેવાને લીધે પણ પેટમાં દુઃખાવો થાય છે.

જો તમે કોઈ દૂષિત કે ખુલ્લામાં મૂકેલો ખોરાક ખાઈ લીધો હોય તો પણ તમને પેટમાં દુઃખાવો થઇ શકે છે. આ સાથે તમને જણાવી દઈએ કે જો તમે બહારનું ખરાબ પાણી નું સેવન કરી લીધું હોય તો પણ પેટના રોગો થાય છે. આવામાં તમારે શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ પાણી પીવું જોઈએ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી તમે ઘણા રોગો દૂર કરી શકો છો.

જો તમને અથવા તમારા આજુબાજુ કોઈને પણ આવી સમસ્યા થાય છે તો તમારે તરત જ ઉપર જણાવેલ ઉપાય કરીને રાહત મેળવવી જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment